Wednesday, August 22, 2012

ક્ષમાપના ~ Forgiveness



This year many are celebrating Samvatsari on separate date & mine is due on 19.09.2012 but as this holy festival is round the corner, thoughts are just pouring in which I am just trying to jolt it down.


As humans we tend to have some or the other feel of grievances, hatred, enmity, jealousy etc towards others. Slowly & gradually this ill feelings give rise to feelings of revenge which ultimately is a destructive process & infact leads to nothing but imbalance of relations, mental strains, growth of hatred etc.

Hence we have been shown the path to FORGIVE so that we forgive others & ask for forgiveness from those people whom we have done wrong. Infact why asking forgiveness to just human's but to all living beings, each & every Jeev & thats why Shashtrakar's say:

SAVVASS  JIVRASHISS BHAVO DHAMNIHIAA NIA CHITTO
SAVVAM KHAMAVAITA KHAMEMI SAVVASS AHYAMPI

which means that we should truly ask forgiveness from all soul's with folded hands bowed head & getting "Dharm Bhaav" in our heart so that not a single soul is left. We all commit mistakes but very few ask for forgiveness but it is also clearly said "TO ERR IS HUMAN, BUT TO FORGIVE IS DIVINE".

But we should understand that just saying MICHCHHAMI DUKKADAM doesnt lead us anywhere if we dont wish to take this "dravya kshama" to the class of "bhaav kshama". Really I too do feel that asking for forgiveness can be done but really forgiving someone needs courage.

Infact it wont be wrong to say that FORGIVENESS (ક્ષમા) is sister of COMPASSION (કરુણા) & daughter of NON-VIOLENCE (અહિંસા) & thats why one who forgives is said to be courageous & a real hero by saying:

KSHAMA VIRASYA BHUSANAM,
KSHAMA TEJASVINAM GUN,
KSHAMA RUPAM TAPASVINAM

I would like to quote SHRUTKEVALI SHRI BHADRA BAHU's sayings:

JO UVASAMEI TASS ATTHI AARAHNA
JO NA UVASAMEI TASS NATTHI AARAHNA
TAMHA APPANA CHHEV UVVASMIYAVYAM

It means that without asking & giving forgiveness, no religious or spiritual studies/conducts etc can be said to be complete. One who wants to build the temple of Worship, shall have to bring Forgiveness in Foundation itself. One who gives & takes forgiveness doesnt fall anywhere but rises in conduct.

BUT IS ASKING FORGIVENESS COMPLETES THE TASK??

NO. While saying Michchhami Dukkadam, we all say "KHAMEMI SAVVE JIVA, SAVVE JIVA KHAMANTU ME, MITTI ME SAVVA BHUVESU, VERAM MAJJHAM NA KENAI" which means & adds that AFTER SEEKING & GRANTING FORGIVENESS, WE SHOULD BE FRIENDLY TOWARDS THEM TOO.

Hope the above brings a light to not just forgive & get forgiven but ALSO TO BUILD A HEALTHY BOND OF FRIENDSHIP leading to love peace & harmony.

MICHCHHAMI DUKKADAM if anyone is hurt cause of above & if anything is said against Jin Vaani & Jin Aagya.

-Samir Doshi

Tuesday, August 21, 2012

A Real Life SHRAVIKA at tender age :)


I have all while grown hearing great stories of Shravika's in Jainism but always regretted that I never got a chance to personally know anyone of such. but really today I am very much happy to know a real life "Shravika" in all means :) So just thought to share this real life incident. I AM NOT NAMING HER AS I KNOW SHE WONT LIKE GETTING NAMED.

It happened in 2010 July with her when some Maharajsaheb's had started going towards Surat from Vadodara just a month before Chaturmas. About 15Km's from Vadodara, Suddenly 1 truck came from behind & injured 2 of Maharajsaheb's & fled off. Both Maharajsaheb's were severely injured. Some passing car's stopped & called ambulance & Maharajsaheb were immediately rushed to Global Multispeciality Hospital. All maharajsaheb came back again at Vadodara. Upashray was 3Km's far from that place & as per hospital rules only 2 ms were allowed to stay. One of the maharajsaheb who got injured got 249stitches & got in senses after 7 days.

Maharajsaheb's managed for 2/3 days by travelling 2-3 Km's daily & decided to find out a space near to hospital so that they can look after daily. They reached a home nearby which they felt must be a home of Jain Shravak & here the incidents begin:


A girl was only there in that house as her parents had gone to someone's funeral. Maharajsaheb told her entire events & asked her that if any space is available nearby or in colony where they can stay. The girl just a TEEN immediately asked maharajsaheb's to stay at her place only. 
Maharaj told her that they were 11 so how would they mange & its not yet sure how many days they would have to stay cause of hospitalization. Further they cant even accede to a girl's request.

But that girl called up her parents & got permission from her dad immediately who also agreed immediately without even giving it another thought. The entire family cleared room for them & they all came in 1 room itself. All 11 maharajsaheb stayed there for 17days. Entire family looked after them greatly in addition to doing great care of injured sadhu bhagvant's. Undoubtedly neighbors too came forward in this great cause & getting moments to serve sadhu sadhvi bhagvant's. Maharajsaheb's too took great care while at their place not to put anyone into any harassment & 8 of them used to keep ayambil's & used to travel 4Km's daily to get Nirdosh Gochari.

Many well wishers & sansarik family members used to come in daily to know about health of maharajsaheb. All those great soul's took proper care of them too doing a great SADHARMIK BHAKTI. The girl was having her MBA Entrance exam in next week but she had kept her books aside & was completely devoted in looking after all maharajsaheb in addition to all others in her family.

17 days all Maharajsaheb stayed there & girl too scored well in her exams. Everyone in family were in tears when they left.

-What a great girl who immediately took that decision inspite of her exams
-What a family who readily accepted small girl's decision, surely they would be really very proud of their daughter.
-& surely great neighbors who too came forward

-& sadhu bhagvant's undoubtedly most great who looked after that no harassment/load etc is caused to the family.

In one ages a kid without even a thought gave away all his kheer to muni bhagvant & becomes the GREAT SHALIBHADRA & here a girl in her early twenties without a thought does a great vaiyavach of all saints while not giving a thought to any inconvenience which she may face at home or her exams or her schedules etc & really great parents who all way supported her. I know surely she is a great soul & gonna be greater in her upcoming life.

NEEDLESS hats off to that Girl & her family. Very less teens get such beautiful & great thoughts like you. :) Whatever anumodna I do shall be less, KOTI KOTI ANUMODNA..


At time the youth is deviating away from spiritual aspects & humanity, you really are a great flame of inspiration for all of us.

-Samir Doshi


    Saturday, August 18, 2012

    ભગવાનના ૨૫ પૂર્વ ભવોનું સંક્ષિપ્ત દિગ્દર્શન અને એમની સાધના

    View of 25 previous birth's of Lord Mahavir in short

    જૈન દર્શનમાં ઈશ્વર થવાનો અધિકાર એક જ વ્યક્તિને નહિ, પણ અનેક વિશિષ્ટ આત્માઓને આપવામાં આવ્યો છે. અને એનો યથાર્થ સુમેળ માનવદેહથી જ થઈ શકે છે. ઈશ્વર થનારો આત્મા, એક વખત લગભગ અન્ય જીવો જેવો જ હોય છે. ઈશ્વર થવાનું બીજ, ગત જન્મો પૈકી કોઈ ભવમાં રોપાય છે, એટલે કે પુણ્યોદય જાગવાનો હોય ત્યારે કોઈ સદ્-આલંબન-નિમિત્તથી અથવા સ્વતઃ અભૂતપૂર્વ તાત્ત્વિક વિવેકનો દીપક પ્રગટ થાય છે, જેને જૈન પરિભાષામાં सम्यक्त्व કહે છે. બીજા અર્થમાં તેને આત્માની સાચી સમજણનો અલ્પ-દિવ્ય પ્રકાશ કહી શકાય. એક વખત ઝબકેલો એ પ્રકાશ પ્રતિકૂળ નિમિત્તો મળતાં બુઝાઈ પણ જાય, તેમ છતાં એક વખત ઝબકી ગયેલો એ પ્રકાશનો મહામૂલો સંસ્કાર માત્ર માનવજાતનાં જ નહીં પણ જીવમાત્રના અન્તિમ લક્ષ્યરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવ્યા વિના રહેતો નથી. આ આદ્ય પ્રકાશની પ્રાપ્તિથી જ તીર્થંકરોના ભવોની ગણતરી કરાય છે.


    ચિત્ર-પરિચય : આ ચિત્રમાં ભગવાન શ્રી મહાવીરના કુલ ૨૭ ભવ પૈકીના ૨૫ ભવોનું દિગ્દર્શન કરાવ્યું છે. આ ચિત્રમાં મથાળેથી પહેલા વિભાગમાં પહેલો `નયસારનો' ભવ, ત્યાર પછી બીજા વિભાગમાં ત્રીજો `મરીચિ' નો ભવ અને પછી ૧૬, ૧૮, ૨૦, ૨૨, ૨૩ અને ૨૫ આ ક્રમાંકવાળા ભવો, તેના એક એક પ્રસંગ સાથે બતાવ્યા છે.


    આ ચિત્રના કેન્દ્રમાં વિમાન દ્વારા દેવભવનું અને તેની નીચે રાક્ષસી મુખ દ્વારા નરકભવનું અને બંને બાજુઓમાં ત્રિદંડી-બ્રાહ્મણનું પ્રતીક આપીને તેની નીચે તેના ભવોની સંખ્યા આપી છે.

    In Jainism, becoming God doesnt rest with only 1 soul, many can become God. A soul who becomes lord is once also like every other soul & slowly gets Samyaktva through which soul progresses towards self realisation & finally attains liberation while in Human life.

    Above picture depicts 25 out of 27 Bhaav's (Births) of Lord Mahavir. 1st Part shows birth as "Naysar" while 2nd part shows birth as "Marichi" & then 16,18,20,22,23,25 births are depicted.

    In centre of the snap, It shows birth as "Dev" & below that shows birth in Narki by mouth of Devil & both right & left show birth as a Brahmin.

    Resting this pic & post series here itself for sometime & shall be back soon again with some more pics & post.

    -Samir Doshi

    Friday, August 17, 2012

    ભગવાન વર્ધમાન કુમારની નિર્ભયતાની દેવપરીક્ષા ~ આમલકી ક્રીડા

    Tests of Kid Vardhman's bravery by Dev's (Aamalki Krida)

    આ વિશ્વ પરસ્પર વિરોધી દ્વંદ્વભાવોથી ભરેલું છે. એક બાજુ કોઈનાં શૌર્ય અને પરાક્રમની ગાથાઓ ગવાતી હોય છે, જ્યારે બીજી બાજુ તેની અસૂયાના આલાપો ગવાતા હોય છે; પણ તેથી તેજસ્વીના તેજને કશી આંચ આવતી નથી. બાળ ભગવંત માટે પણ એવું જ બન્યું. કુમાર વર્ધમાન આઠેક વર્ષના થયા ત્યારે તેઓશ્રીના બાલમિત્રોએ આગ્રહ કર્યો કે `વર્ધમાનજી! ચાલો ચાલો, આપણે નગર બહાર રમવા જઈએ' એટલે મિત્રો સાથે એઓ નગર બહાર જઈને `આમલકી' નામની રમત રમવા લાગ્યા. એ જ વખતે દેવસભામાં શક્ર-ઇન્દ્રે વર્ધમાનકુમારના અજોડ બળ, ધૈર્ય, સાહસ અને નિર્ભયતાની પ્રશંસા કરતાં કહ્યું કે `બાળક છતાં અબાલપરાક્રમી વર્ધમાનજીને શક્તિશાલી દેવો પણ ડરાવી શકે તેમ નથી.' એ સાંભળીને સભામાંથી એક ઈર્ષાળુ દેવે પડકાર ફેંક્યો : `એક માનવી અને તે પણ અન્નજલનો ભોગી અને પાછો બાળક, એનામાં આવી નિર્ભયતા હોય, એ મનાય જ કેમ? એમ બોલીને વર્ધમાનને ડરાવવા, અને પોતાના નેતા ઇન્દ્રનું વચન મિથ્યા કરવા તે ઝટપટ ધરતી ઉપર રમતના સ્થળે આવી ફુંફાડા મારતા ભયંકર સર્પનું રૂપ લઈને વૃક્ષનાં થડ ફરતો વીંટળાઈ ગયો. એ જોતાં બાળકોએ નાસભાગ કરવા માંડી, પણ વર્ધમાને તો જરાપણ ન ડરતાં હિંમતથી ઊભા રહીને એ સર્પને હાથથી પકડીને દૂર ફગાવી દીધો.

    This world just cannot appreciate without having proof's of anything. While the Kid Vardhman (Lord Mahavir) was playing in ground with other kids, Shakrendra was appreciating bravery of Kid Vardhman at Devlok & said that though he is kid now but he doesnt have fear of anything. Listening this 1 of the Dev challenged that no kid can be such fearless & saying this he came at place where all kids including Kid Vardhman were playing. That dev transformed himself to a very large snake near kids & seeing this all kids ran around with fear but Kid Vardhman took that snake in his hands & threw him far without having any fear.

    -Samir Doshi

    Thursday, August 16, 2012

    પોતાના ઇશ્વરી બાલ-સંતાન જોડે વહાલ કરતાં માતાપિતા



    આ ચિત્ર પોતાના તીર્થંકરપુત્ર વર્ધમાન (મહાવીર)ને વહાલ કરી રહેલા પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાનું છે.

    વિશ્વનાં પ્રાણીમાત્રનું આત્મકલ્યાણ કરવાની શક્તિ-સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂર્વ જન્મોથી જ મહાન સાધના, આરાધના કરનારા કરુણાવતાર એવા બાલ ભગવાન મહાવીર કોને વહાલા ન લાગે? દેવો અને ઈન્દ્રોથી સ્તવાયેલા-પૂજાએલા પાપા પગલી કરતા ઇશ્વરીય સંતાનને જોઈને કયા માતાપિતાનાં મન હેલે ન ચઢે? ભવિષ્યમાં એકના મટી સહુના થનારાં, કાલી કાલી ભાષા બોલતાએ સુકોમળ બાળક જોડે પ્રેમ-વહાલ કરવાનું મન કોને ન થાય?... સહુને થાય. તો પછી સાચા માતાપિતાનું મન પોતાના આ બાલ રાજાને જોઈને કેટકેટલું ભર્યુંભર્યું હરખઘેલું રહેતું હશે! તેની આંખો કેવી તૃપ્ત થતી હશે!


    Its picture depicting parents King Siddharth & Queen Trishla showering their love to their great kid VARDHMAN (Lord Mahavir)

    Wednesday, August 15, 2012

    જન્મકલ્યાણક ઉત્સવ: મેરૂ પર્વત ઉપર દેવોનો અભિષેક


    JANMAKALYANAK: Celebrations by all Dev Devi's at Meru Parvat, JANMABHISHEK

    શક્રેન્દ્ર મેરુ પર્વત ઉપર ભગવાનને લાવીને, એ પોતે તે પર્વતના શિખર ઉપર આવીને એક સુંદર શિલા ઉપર બેસીને, ભગવાનને પોતાના ખોળામાં રાખે છે. એ વખતે ત્રિલોકનાથ પરમાત્માની ભક્તિ કરી આત્મકલ્યાણ કરવાને ઉત્સુક બાકીના ૬૩ ઇન્દ્રો અને અસંખ્ય દેવ-દેવીઓ ભેગાં થયેલાં છે. શક્રેન્દ્રે અભિષેક માટે પવિત્ર પર્વતો-તીર્થસ્થળોની માટી, તથા પવિત્ર નદી-સમુદ્રનાં સુગંધી ઔષધિઓથી મિશ્રિત જલથી ભરેલા સોના, રૂપા અને રત્નના હજારો મહાકાય કલશો તૈયાર કરાવ્યા. પછી ઇન્દ્રનો આદેશ થતાં ઇંદ્રાદિક દેવ-દેવીઓ અપૂર્વ ઉત્સાહ અને આનંદપૂર્વક તે કલશો હાથમાં લઈને ભગવાનનો સ્નાનાભિષેક કરે છે. અંતે શક્રેન્દ્ર અભિષેક કરે છે. પછી ભગવંતની પવિત્ર કાયાને ચંદનાદિ સુગંધી દ્રવ્યથી વિલેપન કરી, આરતી-દીવો ઉતારી અષ્ટમંગલ (તેના આકારો)નું આલેખન કરે છે. બીજા દેવ-દેવીઓ ભગવંતની સ્તુતિ અને ગીત-નૃત્યો દ્વારા આનંદ વ્યક્ત કરે છે. ત્યાર બાદ સવાર પડે એ પહેલાં જ શક્રેન્દ્ર ભગવાનને ત્રિશલાના શયનાગારમાં લાવી બાજુમાં સ્થાપિત કરે છે. અન્ય દેવગણ સ્વસ્થાને પહોંચી જાય છે. આ મહોત્સવ તે જ રાત્રિમાં ઊજવાઈ જાય છે. ત્યાર પછી માતા-પિતા દબદબાભર્યો જન્મોત્સવ ઊજવે છે, અને પછી કુટુમ્બીઓ ભેગા થઈ બાળકનું `વર્ધમાન' એવું ગુણનિષ્પન્ન નામ સ્થાપિત કરે છે.

    As Shakendra brings child lord Mahavir to Meru Parvat, he sits on hill top & keeps him in his laps. All 63 other Indra's & several Dev Devi's are already there & Shakrendra has already organised for grand Abhishek of Lord with waters of all Tirth's, medicines etc in Kalash's made of Gold, Silver, Diamonds and many jewels & with orders of Shakrendra, all dev devi's do abhishek. At last Shakrendra does the abhishek & does Asht Prakari Puja's. After doing Aarti, Mangaldeep Asht Mangal is prepared. Thereafter before the sunrise, Shakrendra brings child lord to Mother Trishla & keeps it in his cradle. This entire celebrations take place that night itself. Thereafter parents did grand birth celebrations with relatives & give the name VARDHMAN to the child lord.

    -Samir Doshi

    Tuesday, August 14, 2012

    જન્મકલ્યાણક: ઇન્દ્રનું મેરૂપર્વત પ્રતી ગમન

    Indra Takes child lord towards Meru Parvat to celebrate JANMA KALYANAK


    જન્મસમયે અસંખ્ય યોજન દૂર આકાશ અને પાતાલવર્તી દેવલોકના તમામ ઇન્દ્રોનાં સિંહાસનો ચલિત થયાં. જન્મકાર્યમાં જેની શાશ્વતી અને પ્રધાન જવાબદારી છે એવા પહેલા સૌધર્મ દેવલોકના `શક્ર' ઇન્દ્ર અવધિજ્ઞાનથી ભગવાનના જન્મને જાણી તરત જ, ત્યાંથી જ, પ્રભુ સન્મુખ ચાલીને દર્શન-વંદન-સ્તુતિ કરે છે. પછી તીર્થંકરોના જન્માભિષેકનો પવિત્ર ઉત્સવ પૃથ્વી ઉપર રહેલા મેરુ પર્વત પર જઈને પોતાને ઊજવવાનો હોઈ, સૌધર્મ દેવલોકના અન્ય દેવદેવીઓને પોતાની સાથે ઉત્સવમાં પધારવા સુઘોષા ઘંટા વગડાવીને દેવદ્વારા આમંત્રણ પાઠવે છે. અસંખ્ય દેવો અને ત્રેસઠે ઇંદ્રો સ્વસ્થાનથી બારોબાર મેરુ પર્વત ઉપર જાય છે, જ્યારે શક્રેન્દ્ર જન્મની રાત્રે જ સીધા પૃથ્વી પર આવી, ત્રિશલાના શયનગૃહમાં જઈ, માતા સહિત ભગવાનને નમસ્કાર કરી, આજ્ઞા માગી, દૈવિક શક્તિથી અવસ્વાપિની નિદ્રા દ્વારા માતાને નિદ્રાધીન કરી, ભક્તિનો સંપૂર્ણ લાભ સ્વયં લેવા તરત જ વૈક્રિયલબ્ધિ-શક્તિથી પોતાનાં જ પાંચ રૂપ બનાવી, એક રૂપથી એઓ ભગવંતને બે હાથમાં લે છે, બીજા રૂપોથી છત્ર-ચામરાદિક ધારણ કરીને જંબૂદ્વીપના કેન્દ્રમાં આવેલા, નંદનવન અને જિનમંદિરોથી શોભતા મેરુપર્વત પર લઈ જાય છે.

    On hearing of Lord's birth, Throne's of all Indra's in Devlok & Patal Lok gets to move. The arrangements of all Birth Festivals vests with Shakrendra of Saudharm Devlok & so knowing of birth of Lord, they go there & did Darshan-Vandan-Stuti & thereafter took the child lord with them towards Meru Parvat to have grand birth festivals of Lord & put Queen Trishla in deep sleep. Saudharm Indra invites all other Dev Devi's to join in this celebrations by ringing Sughosha Ghant (Sughosha Bell). All dev Devi's & other 63 Indra's come to Meru Parvat.

    Above pic depicts that Shakrendra multiplies himself into 5 & takes hold of lord in hands of one while others wave Chamar & keep Chaatra over it & move towards Meru Parvat situated in Nandanvan of Jambudweep.

    -Samir Doshi

    Monday, August 13, 2012

    ચૌદ સ્વપ્નો




    માનવનું મન બે પ્રકારનું છે. એક સ્થૂલ અને બીજું સૂક્ષ્મ. રાતના નિદ્રામાં સ્થૂલ મન સુષુપ્ત રહે છે અને સૂક્ષ્મ મન જાગૃત હોય છે
    , તેથી સ્વપ્નો આવે છે.
    ભાવિ સંતાન કેવું થશે? તેનું સૂચન કરનારાં સ્વપ્નશાસ્ત્રમાં ચૌદ સ્વપ્નો સૌથી શ્રેષ્ઠ બતાવ્યાં છે. તેનાં નામ અનુક્રમે (૧) ગજ (હાથી), (૨) વૃષભ (બળદ), (૩) કેસરી સિંહ, (૪) શ્રીદેવી-લક્ષ્મી (અભિષેકયુક્ત), (૫) પુષ્પની માળા (એક જ, બે નહીં), (૬) ચન્દ્ર, (૭) સૂર્ય, (૮) ધ્વજ (સિંહના ચિત્રથી યુક્ત), (૯) કુંભ (પૂર્ણ), (૧૦) પદ્મસરોવર, (૧૧) સમુદ્ર, (૧૨) વિમાન (કે ભવન), (૧૩) રત્નનો ઢગલો અને (૧૪) અગ્નિ (પ્રજ્વલિત છતાં નિર્ધૂમ).

    અહીં ચિત્રમાં અત્યંત આકર્ષક રીતે ચીતરેલાં અતિભવ્ય ચૌદ સ્વપ્નોને તીર્થંકર પુત્રને જન્મ આપનારી દરેક માતા જુએ છે. એનાં વિવિધ ફળો બતાવ્યાં છે.

    એક ખુલાસો - ચૌદ સ્વપ્નો પૈકી પહેલાં સ્વપ્ન માટે વિકલ્પો છે. પહેલા ભગવાનની માતા પહેલાં સ્વપ્નમાં વૃષભ
    , છેલ્લા ભગવાનની માતા સિંહ અને બાવીશ ભગવંતોની માતા હાથીને જુએ છે. આ વાત સહુ ધ્યાનમાં રાખે.
    -સમીર દોશી

    Friday, August 10, 2012

    રાણી ત્રિશલા ક્ષત્રિયાણીને ચૌદ મહાસ્વપ્નોનું દર્શન



    ત્રિશલાના ગર્ભાશયમાં ભગવાનનો ગર્ભ સ્થાપિત થયા બાદ ગર્ભના પુણ્યપ્રભાવે અખિલ વિશ્વનાં નારીવૃંદમાં મૂર્ધન્યપદને પામેલાં તન્દ્રાગ્રસ્ત મહાપુણ્યવતી રાણી ત્રિશલા મધ્યરાત્રિએ (૧) સિંહ, (૨) હાથી, (૩) વૃષભ, (૪) લક્ષ્મીદેવી, (૫) પુષ્પમાળાયુગલ, (૬) ચંદ્ર, (૭) સૂર્ય, (૮) ધ્વજ, (૯) રૌપ્યમય કુંભ, (૧૦) પદ્મસરોવર, (૧૧) ક્ષીરસાગર, (૧૨) દેવવિમાન, (૧૩) રત્નરાશિ તથા (૧૪) નિર્ધૂમ અગ્નિ - એમ ચૌદ પ્રશસ્ત મહાસ્વપ્નોને જુએ છે, અને પોતાના પતિ સિદ્ધાર્થને જણાવીને તેનું ફળ પૂછે છે. સિદ્ધાર્થે પોતે અને સ્વપ્નલક્ષણ પાઠકોએ તેનું ફળ જણાવતાં કહ્યું કે `તમો એવા મહાન પુત્રરત્નને જન્મ આપશો કે જે સર્વગુણો અને લક્ષણોથી સંપન્ન, સર્વાંગસુંદર, મહાજ્ઞાની અને વીર હશે, તથા ભવિષ્યમાં તે તીર્થંકરપદને મેળવશે.' રાણી ત્રિશલા એ વાસિષ્ઠગોત્રીયા ક્ષત્રિયાણી હતાં. વળી પૂર્વ દિશામાં આવેલા ગણસત્તાધારી વિદેહદેશની રાજધાની વૈશાલીના ગણતંત્રાધીશ નૃપતિ ચેટકની તે ભગિની થતાં હતાં. અન્તિમ ધર્મચક્રવર્તી કરુણામૂર્તિ પોતાની કુક્ષિમાં પધારતાં માતા ત્રિશલા ધન્ય બન્યાં, જીવન કૃતકૃત્ય થયું અને એક કવીશ્વરના શબ્દોમાં કહીએ તો તેઓ `વિશ્વમાતા' બન્યાં.

    -સમીર દોશી

    Thursday, August 9, 2012

    શ્રી દેવાનંદાનું સ્વપ્નકથન અને શક્રેન્દ્રનો હરિ-ણૈગમેષી દેવને આદેશ

    શ્રી દેવાનંદાનું સ્વપ્નકથન અને શક્રેન્દ્રનો હરિ-ણૈગમેષી દેવને આદેશ


    ઉપરનું ચિત્ર : તીર્થંકરો જેવી સર્વોચ્ચ, લોકોત્તર વ્યક્તિઓ માટે સામાન્ય નિયમ એવો છે કે તેઓ અન્તિમ ભવમાં ઉચ્ચ ગણાતા ક્ષત્રિયાદિ જાતિ-કુલ-વંશમાં જ જન્મ લે, નહિ કે શૂદ્રાદિ જાતિ-કુલ-વંશમાં. પણ શ્રી મહાવીર માટે આ નિયમથી વિરુદ્ધ ઘટના બની અને આષાઢ સુદિ છઠ્ઠના દિવસે, લાખો વરસ પૂર્વે કરેલા કુલાભિમાનના કારણે તેઓ ભિક્ષુક બ્રાહ્મણકુલમાં ગર્ભપણે અવતર્યા. પહેલા દેવલોકના ઇન્દ્ર સૌધર્મ અવધિજ્ઞાનથી આ અઘટિત ઘટનાને જોતાં ચોંકી ઊઠ્યા, અને ત્યાં જન્મ ન થાય તે માટે ક્ષત્રિયકુલનું યોગ્ય સ્થાન નક્કી કરી તુરંત જ હરિ-ણૈગમેષી દેવને બોલાવી ગર્ભપરાવર્તનનો આદેશ આપતાં કહ્યું કે, "તું શીઘ્ર બ્રાહ્મણકુંડનગરમાં જા અને દેવાનંદાની કુક્ષિમાંથી ભગવાનના ગર્ભને લઈ, ઉત્તર ક્ષત્રિયકુંડ નગરમાં રહેલી રાજા સિદ્ધાર્થની ક્ષત્રિયાણી રાણી ત્રિશલાના ગર્ભમાં સ્થાપન કર અને ત્રિશલાના ગર્ભને લઈ દેવાનંદાની કુક્ષિમાં મૂકી આવ."


    નીચેનું ચિત્ર : તીર્થંકર જેવા મહાન આત્માઓ જે પુણ્યવતી મહિલાના ગર્ભમાં આવે તે મહિલા ગર્ભના પ્રભાવે સર્વોત્તમ ગણાતા સિંહ, હાથી વગેરે ચૌદ મહાસ્વપ્નોને જુએ, એ નિયમાનુસાર ભગવાનની પ્રથમ માતા દેવાનંદાએ તન્દ્રાવસ્થામાં પ્રશસ્ત, મંગલકારક ચૌદ સ્વપ્નોને જોયાં અને પછી જાગ્યાં અને તુરંત જ પોતાના વિદ્વાન પતિ ઋષભદત્તને જણાવ્યાં અને તેમણે કહ્યું કે, "હે દેવાનુપ્રિયા! તું સર્વગુણ-લક્ષણસંપન્ન અદ્ભુત પુત્રરત્નને જન્મ આપીશ."

    -સમીર દોશી

    Wednesday, August 8, 2012

    ધરતી ઉપર અવતરણ - ચ્યવનકલ્યાણક

    ધરતી ઉપર અવતરણ - ચ્યવનકલ્યાણક = ગર્ભાવતાર
    Descend of Tirthankar's Soul to womb ~ Chyavan Kalyanak

    માત્ર મનુષ્યશરીરે જ જન્મ લેતા તીર્થંકરો, ઈશ્વરો કે અરિહંતો અન્તિમ ભવના આગલા જન્મમાં પશુ-પક્ષી અને મનુષ્ય સિવાયની દેવ કે નરકગતિ પૈકી કોઈ પણ એક ગતિમાં વર્તતા હોય છે. એ ગતિ-ભવની સમાપ્તિ થતાં, મનુષ્યરૂપે આ જ ભારત દેશની આર્યભૂમિ ઉપર તેઓ જન્મ લે છે. ભગવાન નો જીવ કુક્ષિમાં ગર્ભરૂપે જન્મ લેવા (ચિત્રમાં દર્શાવ્યા મુજબ) અવતરી રહ્યો છે.

    તીર્થંકર જેવા વિશ્વવત્સલ
    , વિશ્વોદ્ધારક, કરુણાસાગર આત્માઓનું આ ધરતી ઉપર ગર્ભરૂપે આગમન જન્મરૂપે પ્રગટ થવું, દીક્ષા લેવી, કેવળજ્ઞાન એટલે ત્રિકાલજ્ઞાનપ્રાપ્તિ અને નિર્વાણ-મોક્ષપ્રાપ્તિ, આ બધુંય ત્રણેય લોકના જીવોને કલ્યાણકારક હોવાથી એ પાંચેય પ્રસંગોને શાસ્ત્રકારોએ `कल्याणक' એવા વિશિષ્ટ શબ્દથી ઓળખાવ્યા છે.

    -સમીર દોશી

    Tuesday, August 7, 2012

    શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિમાં અનિવાર્ય કારણભૂત બનતાં વીશસ્થાનકનાં વીશ પદો

    શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિમાં અનિવાર્ય કારણભૂત બનતાં વીશસ્થાનકનાં વીશ પદો



    જૈનો આત્મા, ધર્મ, કર્મ, પુણ્ય, પાપ, પરલોક, મોક્ષ આ બધાની સત્તા સ્વીકારે છે, પુણ્યથી સુખ મળે અને પાપથી દુઃખ મળે એમ પણ માને છે. માટે જ જીવે સત્કાર્યો દ્વારા પુણ્યનો સંચય કરતાં રહેવું જોઈએ.
    જેમણે પોતાના આત્માને પરમાત્મા બનાવવો હોય તેમણે ઉત્કૃષ્ટ પુણ્યોત્પાદક આરાધના કરવી જોઈએ. ચિત્રમાં બતાવેલા વીશ સ્થાનકના વીશ પદોની આરાધના દ્વારા ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે.

    ભાવિમાં તીર્થંકર થનારો જીવ પોતાના અંતિમ ભવ પહેલાના ત્રીજા ભવે આ વીશે વીશ સ્થાનકોની અથવા ઓછા-વધતા સ્થાનકોની શ્રેષ્ઠ આરાધના કરીને પરમાત્મા બનવાનું પુણ્ય બાંધે છે. આ આરાધના કર્યા સિવાય કદી તીર્થંકર થવાતું જ નથી એ નિશ્ચિત વાત છે. આ વીશ પદોનાં નામ અનુક્રમે (૧) અરિહંતપદ
    , (૨) સિદ્ધપદ, (૩) પ્રવચનપદ, (૪) આચાર્યપદ, (૫) સ્થવિરપદ, (૬) ઉપાધ્યાયપદ, (૭) સાધુપદ, (૮) જ્ઞાનપદ, (૯) દર્શનપદ, (૧૦) વિનયપદ, (૧૧) ચારિત્રપદ, (૧૨) બ્રહ્મચર્યપદ, (૧૩) ક્રિયાપદ, (૧૪) તપપદ, (૧૫) ગોયમપદ, (૧૬) જિનપદ, (૧૭) સંયમપદ, (૧૮) અભિનવજ્ઞાનપદ, (૧૯) શ્રુતપદ અને (૨૦) તીર્થપદ છે.

    પદોનાં નામ અને ક્રમમાં મતાંતરો છે. બધા જ પદોની તેમજ લગભગ સમાન નામવાળા પદોની આકૃતિઓ નિશ્ચિતરૂપે નક્કી થઈ શકે તેમ નથી. એટલે અમોએ અમારી કલ્પના પ્રમાણે દર્શાવી છે.
    -સમીર દોશી

    Monday, August 6, 2012

    શ્રી તીર્થંકરદેવનું અષ્ટમહાપ્રાતિહાર્યયુક્ત ભવ્ય ચિત્ર

    શ્રી તીર્થંકરદેવનું અષ્ટમહાપ્રાતિહાર્યયુક્ત ભવ્ય ચિત્ર


    આ ચિત્ર જૈન તીર્થંકરદેવની મૂર્તિનું છે. શ્રી તીર્થંકરદેવો કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી જીવનપર્યંત અષ્ટમહાપ્રાતિહાર્યોથી પૂજાતા હોય છે. એટલે આઠ પ્રાતિહાર્યોનો સ્પષ્ટ ખ્યાલ આવે એ માટે અને એક સુંદર અને દર્શનીય ચિત્રનો લાભ સહુને મળે એ ભાવનાથી ખાસ 
    આ ચિત્ર બનાવરાવ્યું છે. આઠ મહાપ્રાતિહાર્યોનાં નામ - (૧) સિંહાસન, (૨) ભામંડલ, (૩) ત્રણ છત્ર, (૪) ચામર વીંજાવવું, (૫) અશોકવૃક્ષ, (૬) પુષ્પવૃષ્ટિ, (૭) દુંદુભિ અને (૮) દિવ્યધ્વનિ છે.

    શ્રી તીર્થંકરદેવના આત્માઓ જૈનધર્મના કર્મવિજ્ઞાન મુજબ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, આ ચાર ઘાતી કર્મોનાં ક્ષયને કારણે અનેક ઉત્તમ ગુણોથી સભર બનતા હોવાથી તેઓ દેવો-ઇન્દ્રોથી વંદનીય અને પૂજનીય બને છે.

    સાધના અને સિદ્ધિ માટે પદ્માસન તેમજ કાયોત્સર્ગ એ બે જ આસનોને શ્રેષ્ઠ ગણ્યા છે. તીર્થંકરો આ બે જ આસનથી મોક્ષે જાય છે. તેથી એ બે જ આસનોવાળી મૂર્તિઓ કરાવવામાં આવે છે. આ ચિત્ર શ્રી આદીશ્વર ભગવાનનું છે.

    -સમીર દોશી

    સુવર્ણકમલસ્થિત પદ્માસનસ્થ તીર્થંકર-શ્રમણ ભગવાન મહાવીર

    સુવર્ણકમલસ્થિત પદ્માસનસ્થ તીર્થંકર-શ્રમણ ભગવાન મહાવીર


    જૈન ધર્મે અસંખ્ય વર્ષોની ગણતરીનો `ઉત્સર્પિણી' નામનો અને એ પૂરો થતાં એ જ માપનો `અવસર્પિણી' નામનો એક મહાકાળ દર્શાવ્યો છે. આ મહાકાળમાં ભારતની ભૂમિ પર યથાકાળે ૨૪ તીર્થંકરો જન્મે છે. તેઓ અહિંસા, સંયમ અને તપની ઉત્કટ સાધના વડે પોતાના આત્માની સંપૂર્ણ શુદ્ધિ કરીને સર્વગુણસંપન્ન પરમાત્મપદને પામે છે. જૈનો તેમને `ઈશ્વર' તરીકે પૂજે છે. તેઓ સર્વજ્ઞ (ત્રિકાળજ્ઞાની), અન્તિમ કોટિના ચારિત્રવાન્ અને સંપૂર્ણ વીતરાગદશાને વરેલા હોય છે. આવા તીર્થંકર-દેવો લોકોને તારનારા ધર્મતીર્થની સ્થાપના કરે 
    છે અને તેથી તે તીર્થંકર કહેવાય છે. તેઓ પ્રતિદિન હજારો મનુષ્યોને ધર્મની દેશના આપી તેમને આત્મકલ્યાણનો માર્ગ દર્શાવે છે, પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં સકલ કર્મનો ક્ષય કરી શીઘ્ર મુક્તિ (-મોક્ષ-સિદ્ધિ) સ્થાને પહોંચી જાય છે અને પોતાના જીવનનું અન્તિમ સાધ્ય સિદ્ધ કરે છે. મોક્ષપ્રાપ્તિ થયા પછી તેઓને આ સંસારમાં જન્મ લેવાનો રહેતો નથી. સર્વ દુઃખથી મુક્ત બનેલા તેઓ ત્યાં અક્ષય, અનંત એવા આધ્યાત્મિક સુખનો સર્વોત્તમ આનંદ ભોગવે છે. રાગ-દ્વેષના વિજેતા પરમાત્માને જૈનો તીર્થંકર, અર્હત્, અરિહંત, વીતરાગ, જિન વગેરે નામથી ઓળખાવે છે.

    આ ચિત્ર આ કાળના અંતિમ-૨૪ માં તીર્થંકર ભગવાન શ્રી મહાવીરનું છે. તેઓશ્રી વર્ધમાન, દેવાર્ય, જ્ઞાતનંદન આદિ નામોથી પણ ઓળખાય છે.

    -સમીર દોશી