Saturday, September 29, 2012

વીરતાની પુનઃ દેવપરીક્ષા, દૈત્યદમન અને `મહાવીર' નામ સ્થાપન

We had started with Jainism Pic & Post series & have posted around 12 snaps till now about incidents in Life of our Lord Mahavir. Moving in the same direction, we are again continuing & moving forward in the said story.


As Dev's couldnt win with child Mahavir, as already stated in prior post (આમલકી ક્રીડા), they again went to test kid vardhman & hence disguised as a Kid. It was decided that one who losses shall have to make winner sit on his shoulders. That Dev in disguise of Kid, lost by plan & asks kid vardhman to sit on his shoulder & as he sits, the dev takes a giant form & scares all. But kid vardhman doesnt get feared & gives a hard bang on the shoulder of that dev. Dev gets terrible pain & immediately releases kid vardhman & asks apology. Now he had no doubt that the Kid would be future LORD.
As kid Vardhman wins over in such tests, there happens to be a great celebration in Devlok amidst which God Indra keeps name of God as MAHAVIR.

પ્રથમ પરીક્ષામાં (આમલકી ક્રીડા) દેવ નિષ્ફળ ગયો, એટલે તેણે બીજો દાવ અજમાવ્યો. તે અન્ય બાળકના જેવું રૂપ લઈ દોડી આવીને બાળકોમાં ઘૂસી ગયો. પછી નવી રમત રમવાનું નક્કી કર્યું, પણ બનાવટી બાળકે કહ્યું કે "કંઈક શરત રાખો તો રમતમાં જોશ આવે." આથી `હારેલો વિજેતાને ખભે બેસાડી ફેરવે' એવી શરત નક્કી કરાઈ. પેલો બાળક બની ગએલો દેવ જાણીને જ હારી ગયો, એટલે વિજેતા વર્ધમાનને કહે `લો ચાલો, બેસી જાવ મારા ખભે.' વર્ધમાનકુમાર ખભે બેઠા. પરીક્ષાની તક ઊભી થઈ ગઈ. દેવે કાયાની માયા વધારતાં વિકરાળ-ભયંકર રાક્ષસનું રૂપ ધારણ કર્યું. તે કૂદતો જાય અને સાથે શરીરને વધારતો જાય. જોતજોતામાં દૈવિક શક્તિથી શરીરને ડુંગર જેવડું કર્યું. એ જ પળે વર્ધમાનકુમારે અવધિજ્ઞાનથી જોયું કે આ છે શું? ત્યારે જણાયું કે આ તો પોતાને ડરાવવા આવેલા દેવની દેવમાયા છે, એટલે જરા પણ ગભરાટ અનુભવ્યા વિના એને બોધપાઠ આપવા, વજ્ર જેવી કઠિન મુઠ્ઠી જોરથી એ દેવના ખભા પર મારી, એની વેદના તેને અસહ્ય થઈ પડી. સંશય નષ્ટ થયો. દેવેન્દ્રનાં વચનોનો યથાર્થ સાક્ષાત્કાર થતાં તેણે મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું અને ભગવાનને નમી, ક્ષમા માગી એ સ્વસ્થાને ગયો.

વર્ધમાન પરીક્ષામાં વિજયી બન્યા. દેવલોકમાં જયજયકાર ગવાયો
, અને તે જ વખતે હજારો દેવોની સભા વચ્ચે, ભારે હર્ષનાદો સાથે ઇન્દ્રે શ્રી વર્ધમાનનું બીજું `મહાવીર' એવું ગુણનિષ્પન્ન નામ જાહેર કર્યું. ભગવાન આ જ નામથી વિશ્વવિખ્યાત બન્યા.


- સમીર દોશી, Samir Doshi _/\_

Tuesday, September 25, 2012

ક્યાં જશું ??



શબ્દનો સંગાથ છોડી ક્યાં જશું

અર્થ સાથે મૌન જોડી ક્યાં જશું

માત્ર લૂલા સ્વાર્થખાતર હર વખત

સત્યને તોડી-મરોડી ક્યાં જશું !

શૂન્ય વત્તા શૂન્યના સામ્રાજ્યમાં

શૂન્યનું પ્રાધાન્ય તોડી ક્યાં જશું !

કરગરે અસ્તિત્વખાતર લાગણી

એ હદે, એને વખોડી ક્યાં જશું

ક્યાં રહ્યો છે કોઇ સથવારો સમીરનો

લઇ દશા આવી કફોડી ક્યાં જશું !!!!

મોત મારું કેવું હશે??


ઘણાં વખતથી મળ્યું નથી,
મૌત મારુ કેવું હશે…
ઘડીક નીરાંતે સુતુ હશે,
કે જીવતર મારુ લેવું હશે…
અંધારા મા છુપું હશે,
કે છડેચોક આવતું હશે…
કરતું કોઇનું કતલ હશે,
કે શ્વાસ મારા ગણતું હશે…

હું કંટક છું તો ફૂલોમાં રહીને શું કરું??

ભલે કહે છે બધા કે, સંગ્રહીને શું કરું?
હ્રદયમાં દર્દ છે તો છે.. કહીને શું કરું?

બધાને પ્યાસ છે, સાકી તણી મહેફીલ તણી,
ભલે અમ્રુતભર્યો તોયે.. વહીને શું કરું?

અગર મિત્રો લાવી દે, બધું મંજૂર છે
ફક્ત જન્નત મળે.. એથી સહીને શું કરું?

ભલે ને થોર છું, કાંટા થકી જીવી શક્યો
હું કંટક છું.. તો ફૂલોમાં રહીને શું કરું???

ના કર

તું પત્થરમાં ઝાકળ ના કર, 
રણની વચ્ચે કુંપળ ના કર.


હું દિલમાં રાખુ છું સાગર,
શમણાં દઇને મ્રુગજળ ના કર.


માની લઉં છું તારી વાતો.
વાત વધારીને છળ ના કર


લખતો રહું છું હું આંસુથી,
માનસપટને કાગળ ના કર.



ને મસ્તી મળવી અઘરી છે,
આસવનું ગંગાજળ ના કર...

Wednesday, September 19, 2012

મિચ્છામી દુક્કડમ

આભાર મિત્રો,
છેલ્લા કેટલાય વખત થી હું અહી જાત જાત ના status પોસ્ટ કરતો રહ્યો છું. અને ઘણી વાર તેમાં એક યા બીજી રીતે અમુક વ્યક્તિઓની, વ્યક્તિઓના સમૂહ ની કે સંપ્રદાય ની લાગણી દુભાયી હશે. મેં પોસ્ટ કરેલા ફોટોગ્રાફ્સ થી પણ કદાચ કોઈને મેં હાની પહોચાડી હશે, કોઈના status પર કે ફોટોગ્રાફ પર હાની પહોચાડે તેવી કોમેન્ટ પણ કરી હશે. આ તમામ વખતે મેં મારા એગોઈસ્મ થી દોરાઈ ને તેમ કરેલું હતું તેવું મને ભાન થયું છે. હું આજે ફરીથી તે એક એક પ્રશંગોને યાદ કરીને, મારા આત્મા ની સાક્ષી એ હું તમામ વ્યક્તિઓની માફી માંગું છું. અને મારી એ ચેષ્ટાઓની આલોચના કરું છું. અને હવે પછી તે રીતની ચેષ્ટાઓ ફરીથી ના થાય તેની કાળજી રાખવાનો સનિષ્ઠ પ્રયત્ન કરીશ. તમેય મોટું મન રાખીને મને માફ કરી દેશો.

નેટ ને છોડીને મારી સાથે કરેલા મારા સહેવાસ, અને તે દરમ્યાન થોડીક પળોને પાછું વાળીને જોવાની મને એક તક મળી, આટ આટલી મુલાકાતો પછી પણ મારામાં રહેલો મહાવીર જાગતો નથી ? આરો ખરાબ નથી દરરોજ હજારો  મહાવીર  પેદા થયી સકે તેવું વાતાવરણ કુદરત સર્જે જ છે. પણ મારા એન્ટેના હું ક્યાંક બીજે ગોઠવીને બેઠો છું. :( 


આપ સૌ ખરેખર મોટા મનના છો, આ સમગ્ર વિશ્વ આપના જેવા મોટા મનના "માણશો" થી ભરપુર છે તેની પ્રતીતિ થયેલી. અને તેના તમો જીવતા જાગતા ઉદાહરણો છો, જે મારી ભૂલોને સાહજીકતાથી ક્ષમા બક્ષી સકે છે.



ફરી ઘેર ઘેર હું, કરું છું મિચ્છામી દુક્કડમ

હ્રદય પર હાથ મૂકી હું કહું છું મિચ્છામી દુક્કડમ

વલોવીને હ્રદયના, આ મનોમંથનનાં અંતે
વહાવી આંસુઓ હું ધરું છું મિચ્છામી દુક્કડમ

સમ્યકની ટેવ ક્યા હતી?, બસ ભૂલો કરી હતી
ઢંઢોળી "મને " જ હું કહું છું મિચ્છામી દુક્કડમ

શરીર નાં ખોખા વાસ્તે,કરી છે વાસના મેં બહુ
ઉતારી કાંચળી ને હું ઈચ્છું મિચ્છામી દુક્કડમ

જગતનો તાત જો તું છે, તો હું બાળ તારો છું
પડી ઘુટણએ હું ચાહું છું મિચ્છામી દુક્કડમ

Tuesday, September 18, 2012

ક્ષમાપના દિન એટલે શું ?


જન્મદિન હોય લગ્નદિન હોય પણ આ ક્ષમાપના દિન  એટલે શું ?
સામાન્ય રીતે ક્ષમા એટલે એક મન થી લીધે લો એક એવો નિર્ણય કે જેમાં જતું કરવાની સમપૂર્ણ  ભાવના હોય. અને વેર ભાવને ત્યાગીને જાગૃતિ સાથે સ્વીકારની સહભાવના અને જ્યાં આત્મા અને જ્ઞાન નું   તાદાત્મ્ય હોય. નકારત્મક ભાવ માંથી પોતાને  આઝાદી આપી જીવન માં આગળ  વધવાનો અવસર… માટે ક્ષમા એ વીરનું ભૂષણ કહ્યું છે. દરેક માનવીએ અવકાશ મળે તો  ક્ષમાપના માગી લેવી જેથી જીવન માં આગળ વધી શકાય ..
જૈન ધર્મમાં એ માટે ખાસ અવસર દીધો છે. સવંત્સરી પર્વ એનો અતિંમ દિવસ ક્ષમાપના દિન ઓળખાય છે. મન, વાણી અને હૃદયને શુદ્ધ કરી ક્ષમા માગવાનો અવસર…. પર્યુષણ મહાપર્વમાં સતત આધ્યાત્મિક સાધના આરાધના દ્વારા અંતઃ કરણની મલિનતાને દૂર કરવાની મુખ્યતા હોય છે. પર્યુષણ મહાપર્વનો દ્રશ્યમાન જગત સાથે સંબંધ હોવા છતાં પર્યુષણની સમગ્ર મહતા અંતજર્ગત સાથે છે….
મિચ્છામીદુક્કડમ કહેતા પહેલા એના અર્થને જાણવો ખુબ જરૂરી છે:


પર્યુષણ મહાપર્વનો  છેલ્લો દિવસ ~ ક્ષમાપના દિન

મન વાણીને કર્મના બંધન છોડી શુદ્ધ ભાવનાનો દિન

અંતરમનના કષાયો, મનમેલ ધોઈ સંવત્સરી ઉજવીએ
ભૂત ભાવી અને  વર્તમાનની કટુતા ધોઈ શુદ્ધ થઈએ

પરિવાર સગા સ્નેહીને ક્ષમા કરવાનો આ શુભ  દિન
ખમાવવાનું ઉત્તમ પર્વ, સંવત્સરી મિચ્છામી દુક્કડમ

પરિવારમાં પ્રસરેલા કટુતાના નિવારણનો આ દિન
નવા વિચાર, વાણી ને વર્તનને સુધારવાનો  દિન

પાંચ મહાવ્રત લઇ ઉત્કર્ષને જીવનમાં અનેરું સ્થાન આપીએ
વહેલા સૂઈ અને વહેલા ઉઠો, જમવામાં અન્ન નવ છાન્ડીએ

પાણીનો દૂર્વ્યય ના કરીએ, સંગ્રહ વૃત્તિને છોડીએ
જરૂરિયાતમંદને મદદ કરવા પાંચ મહાવ્રત્ત લઈએ

શ્રી મહાવીરની ભાવનાઓને જીવનમાં ઉતારીએ

આપણુ જીવનધ્યેય બનાવી ૮૪ લાખ યોનિમાંથી ઉગરીએ
સત્ય, પ્રેમ, કરુણા ને  અહિંસાના મોક્ષ  માર્ગને અનુસરીએ

પર્યુષણ પર્વે, સંવત્સરી, મિચ્છામી દુક્કડમ સૌને પાઠવીએ
તો ચાલો મારાવતી આપ સહુને  
……….મિચ્છામીદુક્કડમ …..



Monday, September 3, 2012

વિસ્તાર શબ્દનો

પામી શકો તો પામો આકાર શબ્દનો.
અવકાશથી વધુ છે વિસ્તાર શબ્દનો.

તરી શકું સમંદર એ શક્ય તો નહોતું.
મળ્યો મને પળેપળ આધાર શબ્દનો.

પળવારમાં એ રણમાં ઝરણ કરી શકે.
પ્રકાશથીય તેજ છે તોખાર શબ્દનો.

બોલી ઊઠી શકે છે આ શૂન્યતા હવે.
કરે છે કોઇ રણઝણ આ તાર શબ્દનો.

ધરીને ભેખ રોજે કરતો રહું સ્મરણ.
મળી જશે કદીતો સ્વીકાર શબ્દનો....