Tuesday, September 18, 2012

ક્ષમાપના દિન એટલે શું ?


જન્મદિન હોય લગ્નદિન હોય પણ આ ક્ષમાપના દિન  એટલે શું ?
સામાન્ય રીતે ક્ષમા એટલે એક મન થી લીધે લો એક એવો નિર્ણય કે જેમાં જતું કરવાની સમપૂર્ણ  ભાવના હોય. અને વેર ભાવને ત્યાગીને જાગૃતિ સાથે સ્વીકારની સહભાવના અને જ્યાં આત્મા અને જ્ઞાન નું   તાદાત્મ્ય હોય. નકારત્મક ભાવ માંથી પોતાને  આઝાદી આપી જીવન માં આગળ  વધવાનો અવસર… માટે ક્ષમા એ વીરનું ભૂષણ કહ્યું છે. દરેક માનવીએ અવકાશ મળે તો  ક્ષમાપના માગી લેવી જેથી જીવન માં આગળ વધી શકાય ..
જૈન ધર્મમાં એ માટે ખાસ અવસર દીધો છે. સવંત્સરી પર્વ એનો અતિંમ દિવસ ક્ષમાપના દિન ઓળખાય છે. મન, વાણી અને હૃદયને શુદ્ધ કરી ક્ષમા માગવાનો અવસર…. પર્યુષણ મહાપર્વમાં સતત આધ્યાત્મિક સાધના આરાધના દ્વારા અંતઃ કરણની મલિનતાને દૂર કરવાની મુખ્યતા હોય છે. પર્યુષણ મહાપર્વનો દ્રશ્યમાન જગત સાથે સંબંધ હોવા છતાં પર્યુષણની સમગ્ર મહતા અંતજર્ગત સાથે છે….
મિચ્છામીદુક્કડમ કહેતા પહેલા એના અર્થને જાણવો ખુબ જરૂરી છે:


પર્યુષણ મહાપર્વનો  છેલ્લો દિવસ ~ ક્ષમાપના દિન

મન વાણીને કર્મના બંધન છોડી શુદ્ધ ભાવનાનો દિન

અંતરમનના કષાયો, મનમેલ ધોઈ સંવત્સરી ઉજવીએ
ભૂત ભાવી અને  વર્તમાનની કટુતા ધોઈ શુદ્ધ થઈએ

પરિવાર સગા સ્નેહીને ક્ષમા કરવાનો આ શુભ  દિન
ખમાવવાનું ઉત્તમ પર્વ, સંવત્સરી મિચ્છામી દુક્કડમ

પરિવારમાં પ્રસરેલા કટુતાના નિવારણનો આ દિન
નવા વિચાર, વાણી ને વર્તનને સુધારવાનો  દિન

પાંચ મહાવ્રત લઇ ઉત્કર્ષને જીવનમાં અનેરું સ્થાન આપીએ
વહેલા સૂઈ અને વહેલા ઉઠો, જમવામાં અન્ન નવ છાન્ડીએ

પાણીનો દૂર્વ્યય ના કરીએ, સંગ્રહ વૃત્તિને છોડીએ
જરૂરિયાતમંદને મદદ કરવા પાંચ મહાવ્રત્ત લઈએ

શ્રી મહાવીરની ભાવનાઓને જીવનમાં ઉતારીએ

આપણુ જીવનધ્યેય બનાવી ૮૪ લાખ યોનિમાંથી ઉગરીએ
સત્ય, પ્રેમ, કરુણા ને  અહિંસાના મોક્ષ  માર્ગને અનુસરીએ

પર્યુષણ પર્વે, સંવત્સરી, મિચ્છામી દુક્કડમ સૌને પાઠવીએ
તો ચાલો મારાવતી આપ સહુને  
……….મિચ્છામીદુક્કડમ …..



2 comments:

  1. awesome post bhai ,micchami dukhdam to you again .....forgiveness should be the virtue of everyones life ,.....because if you can forgive,you can live with out any weight on your heart :) :)

    ReplyDelete