Monday, August 13, 2012

ચૌદ સ્વપ્નો




માનવનું મન બે પ્રકારનું છે. એક સ્થૂલ અને બીજું સૂક્ષ્મ. રાતના નિદ્રામાં સ્થૂલ મન સુષુપ્ત રહે છે અને સૂક્ષ્મ મન જાગૃત હોય છે
, તેથી સ્વપ્નો આવે છે.
ભાવિ સંતાન કેવું થશે? તેનું સૂચન કરનારાં સ્વપ્નશાસ્ત્રમાં ચૌદ સ્વપ્નો સૌથી શ્રેષ્ઠ બતાવ્યાં છે. તેનાં નામ અનુક્રમે (૧) ગજ (હાથી), (૨) વૃષભ (બળદ), (૩) કેસરી સિંહ, (૪) શ્રીદેવી-લક્ષ્મી (અભિષેકયુક્ત), (૫) પુષ્પની માળા (એક જ, બે નહીં), (૬) ચન્દ્ર, (૭) સૂર્ય, (૮) ધ્વજ (સિંહના ચિત્રથી યુક્ત), (૯) કુંભ (પૂર્ણ), (૧૦) પદ્મસરોવર, (૧૧) સમુદ્ર, (૧૨) વિમાન (કે ભવન), (૧૩) રત્નનો ઢગલો અને (૧૪) અગ્નિ (પ્રજ્વલિત છતાં નિર્ધૂમ).

અહીં ચિત્રમાં અત્યંત આકર્ષક રીતે ચીતરેલાં અતિભવ્ય ચૌદ સ્વપ્નોને તીર્થંકર પુત્રને જન્મ આપનારી દરેક માતા જુએ છે. એનાં વિવિધ ફળો બતાવ્યાં છે.

એક ખુલાસો - ચૌદ સ્વપ્નો પૈકી પહેલાં સ્વપ્ન માટે વિકલ્પો છે. પહેલા ભગવાનની માતા પહેલાં સ્વપ્નમાં વૃષભ
, છેલ્લા ભગવાનની માતા સિંહ અને બાવીશ ભગવંતોની માતા હાથીને જુએ છે. આ વાત સહુ ધ્યાનમાં રાખે.
-સમીર દોશી

No comments:

Post a Comment