Wednesday, August 8, 2012

ધરતી ઉપર અવતરણ - ચ્યવનકલ્યાણક

ધરતી ઉપર અવતરણ - ચ્યવનકલ્યાણક = ગર્ભાવતાર
Descend of Tirthankar's Soul to womb ~ Chyavan Kalyanak

માત્ર મનુષ્યશરીરે જ જન્મ લેતા તીર્થંકરો, ઈશ્વરો કે અરિહંતો અન્તિમ ભવના આગલા જન્મમાં પશુ-પક્ષી અને મનુષ્ય સિવાયની દેવ કે નરકગતિ પૈકી કોઈ પણ એક ગતિમાં વર્તતા હોય છે. એ ગતિ-ભવની સમાપ્તિ થતાં, મનુષ્યરૂપે આ જ ભારત દેશની આર્યભૂમિ ઉપર તેઓ જન્મ લે છે. ભગવાન નો જીવ કુક્ષિમાં ગર્ભરૂપે જન્મ લેવા (ચિત્રમાં દર્શાવ્યા મુજબ) અવતરી રહ્યો છે.

તીર્થંકર જેવા વિશ્વવત્સલ
, વિશ્વોદ્ધારક, કરુણાસાગર આત્માઓનું આ ધરતી ઉપર ગર્ભરૂપે આગમન જન્મરૂપે પ્રગટ થવું, દીક્ષા લેવી, કેવળજ્ઞાન એટલે ત્રિકાલજ્ઞાનપ્રાપ્તિ અને નિર્વાણ-મોક્ષપ્રાપ્તિ, આ બધુંય ત્રણેય લોકના જીવોને કલ્યાણકારક હોવાથી એ પાંચેય પ્રસંગોને શાસ્ત્રકારોએ `कल्याणक' એવા વિશિષ્ટ શબ્દથી ઓળખાવ્યા છે.

-સમીર દોશી

No comments:

Post a Comment